મેંદરડા તાલુકાના કેનેડીપુર ગામે સીમ વિસ્તારમાં ખાનગી ફાર્મ હાઉસમાં મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા કોર્સટેબલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા કિરણભાઈ જીલડીયા નામના કોસ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. આપઘાતની ખબર સામે આવતા ચપચાર મચી જવા પામ્યો હતો. અગમ્ય કારણોસર પોલીસ કર્મીએ આપઘાત કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે પોલિસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા ઘણા સમયથી આ યુવાન ગુમસુમ રહેતો હોય ક્યારે અચાનક જ આજે વહેલી સવારે ગળાફાંસો ખાય આપઘાત કર્યો છે આ રીતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે પોલીસ દ્વારા હાલ તો આપઘાત અંગેની અરજી દાખલ કરી આગળની તપાસ હાલ મેંદરડા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે