આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં આ વર્ષે રાજ્ય કક્ષાના સ્વંતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર મોડાસા શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ વચ્ચે શાળા-કોલેજના બાળકો પણ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં જોડાઈ ગયા છે. ઠેરૃઠેર ત્રિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે તો નાના ભૂલકાઓ પણ આ ઉજવણીમાં જોડાઈ રહ્યા છે.
મોડાસાની કલરવ બાળ મંદિર સ્કૂલના બાળકોએ આઝાદીના અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરી હતી. શાળાના થીયેટર હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ત્રિરંગાની માનવ સાંકળ બનાવી હતી, જેનું ચિત્ર અદભૂત લાગતું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ મોડાસાની કલરવ બાળ મંદિર વિભાગમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીના અગાઉ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેથી બાળકોને રાષ્ટ્ર ભાવના વધે.
આ કાર્યક્રમને સફળ બનાવવા કલરવ બાળ મંદિર વિભાગના આચાર્યા ઈલાબહને વ્યાસ તેમજ તમામ શિક્ષિકાઓએ ભારે જહેમત ઉઠાવી હતી, જેને લઈને બાળકોએ આવો સરસ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યા હતા.