અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
કોરોના વાઈરસના બે વર્ષ પછી નવરાત્રી ઉજવાઈ રહી છે ત્યારે વરસાદે કેટલાક વિસ્તારોમાં માઝા મુકતા ખેલૈયાઓ નિરાશ થયા છે. રાજ્યના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવતા વરસાદી છાંટા થયા હતા. છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો જેને લઇને નસવાડી પંથકમાં વરસાદ થતાં નવરાત્રીમાં ભંગ પડ્યો હતો.
નસવાડી નગરમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો, જેને લઇને ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી હતા. વરસાદને લઇને સાઉન્ડ સિસ્ટમ સહિત નવરાત્રીના સામાનને ઢાંકવાની કામગીરીમાં આયોજકો લાગી ગયા હતા તો વરસાદી માહોલને લઇને આયોજકો પણ મુંજવણમાં મુકાઈ ગયા હતા.