ગુજરાતના સુવિખ્યાત અને વાચકોના પ્રિય કવિઓમા અનિલ ચાવડાનુ નામ સહજ રીતે મુકાઇ જાય છે. તેમના એક પછી એક ગઝલ સંગ્રહો અને મુશાયરાના વિડિઓને લોકોએ અઢળક દાદ-સોરી લાઇક આપતા રહ્યાં છે.કવિતા અને મુશાયરાના ‘અનિલ’ જુદા જુદાં છે.લખેલી કવિતા કે ગઝલ વાંચવાની મજા આવે એ તો ખરું જ પરંતુ અનિલને મુશાયરામા સાંભળવાની મજા તો કઈક ઓર જ છે.મુશાયરામા જેવા અનિલ ઉભા થાય કે આખ્ખુ ઓડિયન્સ સાબદુ થઈ જતુ નિહાળ્યું છે.તેમના એક ગીત ને માણીએ:
સાવ આવું કરવાનું, સાવ?
ગળચી દબાવીને હળવેથી કહો છો કે ગીત કોઈ સુરીલું ગાવ!
મોજાં પર મસ્તીથી તરવાની ઝંખનાનું
રોપો છો પહેલાં તો બીજ,
ત્યારબાદ સામેના કાંઠા પર બતલાવો
માંહ્યલાની મોહક કોઈ ચીજ
દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!
સાવ આવું કરવાનું, સાવ?
પેન્સિલથી સુખના બે અક્ષર જ્યાં પાડીએ
ત્યાં આવો છો રબ્બર થઈ ભૂંસવા;
એકાદું આંસુ પણ સારીએ તો ડોકાતા
કેમ નથી રૂમાલ થઈ લૂછવા?
નખ જેવા દખને પણ ખોદી ખોદીને કરી નાખવાની ઊંડી કોઈ વાવ!
સાવ આવું કરવાનું, સાવ?
~ અનિલ ચાવડા
સાવ આવું કરવાનું, સાવ?
ગળચી દબાવીને હળવેથી કહો છો કે ગીત કોઈ સુરીલું ગાવ!
આવું એટલે કેવું? કવિ સુંદર રીતે ગીતને આગળ વધારે છે.પંખીની પાંખો કાપીને કહે હવે ઉડ.રવીન્દ્રનાથ ટાગોરની શિક્ષણ વિષયક એક કવિતામા પંખીની પાંખો કાપી નાખીને તેના ન ઉડવા વિશે ફરિયાદ કરવામા આવે છે.પંખીને શિક્ષણ સિવાયની જાત જાતની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.સદર કટાક્ષિકામા પંખી એજ્યુકેટ થવાને બદલે મરી જાય છે.
પહેલા બીજ રોપવામા આવે છે.કોઇ આશાનુ કિરણ બતાવવામા આવે છે. અને આગ લગાડ્યા પછી પાણીની ટેંકર મોકલવા જેવો ઘાટ ઘડાય છે. અહિ જબરદસ્ત કટાક્ષ પ્રગટે છે.
કવિ લખે છે:
દરિયામાં તોફાનો ઊભાં કરીને પછી ભાડેથી આપો છો નાવ!
સાવ આવું કરવાનું, સાવ?
વર્તમાન સમાજ જીવન પર કવિ માર્મિક ટકોર કરે છે. સુખના દિવસો આવ્યાના વધામણા લઇએ ત્યાં તો દુખના ઓળા વરતાવા લાગે છે.
પેન્સિલથી સુખના બે અક્ષર જ્યાં પાડીએ
ત્યાં આવો છો રબ્બર થઈ ભૂંસવા;
આ દેશમા કેટલાક માણસો પોતાના આસપાસના વાતાવરણને નેગેટીવીટીથી ભરી દ ઇ દો- જખ જેવું બનાવી દેતા હોય છે.ને પછે કહે છે હવે જીવનમા બહુ કસ રહ્યો નથી.સાવ નાનકડી આપત્તિનેપહાડ જેવડી બનાવી દેવામા તેઓ નિષ્ણાત હોય છે. પહેલાએ લોકો કાપડના તાકા ભરી રાખે છે પછી જ્યારે માણસ ફાટી જાય છે ત્યારે વાર-વાર વેચે છે. એ લોકો એ ‘લોકો’ છે જ નહિ નો આક્રોશ કવિ પ્રિયકાંત મણિયાર વ્યક્ત કરે છે.
નખ જેવા દખને પણ ખોદી ખોદીને કરી નાખવાની ઊંડી કોઈ વાવ!
સાવ આવું કરવાનું, સાવ?
અનિલ પાસે ગુજરાતને ઘણી અપેક્ષાઓ છે.બસ આજ રીતે વરસતા રહો વાચકોની તરસને છીપાવતા રહો.
મિસરી
ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.
(અનિલ ચાવડાના પુસ્તક માંથી)