ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાક આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Advertisementગુજરાતના 25 જિલ્લાઓમાં 58 નવનિર્મિત પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું લોકાર્પણ
Advertisementપોલિસ આવાસ અને પોલિસ સ્ટેશન 347 કરોડના ખર્ચે નવનિર્માણ
Advertisement
ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે થી વર્ચુઅલ જોડાઈને સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં નવા પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસો ના રૂપિયા 347 કરોડના ખર્ચે નવનિર્માણ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
નવનિર્મિત પોલીસ સ્ટેશન નો મુખ્ય હેતુ અરજદારોને સારી સુવિધા મળી રહે અને પોલીસ તંત્ર સમાજ માટે વધુ સારી રીતે કાર્ય કરી શકે તેવો છે. પોલીસ પરિવાર ને હૂંફ પૂરી પાડવા સારું તેમજ એક જ પરિસરમાં પોલીસ પોતાના પરિવારની સાથે રહી શકે તે માટે અરવલ્લી જિલ્લામાં આગામી સમયમાં એક ભવ્ય હેડક્વાટર નવનિર્માણ પામવા જઈ રહ્યું છે. જેમાં 280 પોલીસ ક્વાર્ટર્સ તેમજ બાલક્રિડાગણ, માઉન્ટેન ડિવિઝન, પોલીસ તાલીમ સંકુલ,એમ.ટી ડિવિઝન,પરેડ ગ્રાઉન્ડ તથા પોલીસ પરિવારના બાળકો માટે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ઉદ્ઘાટન આગામી સમયમાં થશે.