ગુજરાતમાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. રાસાયણિક બિયારણથી જમીનને થતા નુકસાન તેમજ ઉત્પાદન ઓછું થવાથી ખેડૂતો ઓછા ખર્ચે ઓર્ગેનિક ખેતી કરીને મબલક ઉત્પાદનની સાથે સારો નફો પણ મેળવી રહ્યા છે, આવા જ એક ખેડૂત સાબરકાંઠા જિલ્લામાં છે કે, જેમણે ઓર્ગેનિક હળદળની ખેતી કરી છે.
આજકાલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતો ની મુલાકાત ખૂબ જ રસપ્રદ બની રહે છે. ખાસ કરીને રોજબરોજના જીવનમાં આપણે સમાચારપત્રોમાં એવું જાણવા મળે છે કે, કેમિકલ અથવા તો ફર્ટિલાઇઝર થી પકવેલું અનાજ શરીર માટે ઘણું હાનિકારક તેમજ આરોગ્યને જોખમમાં મૂકે તેવું હોય છે. પરંતુ વધુ ઉત્પાદન મળે તે હેતુથી હવે હવે મોટાભાગના ખેડૂતો ફટીલાઈઝરથી થનારી ખેતી તરફ વળ્યા છે. કેટલોક વર્ગ પ્રાકૃતિક ખેતી શું હોય છે તે જાણવા ઉત્સુક હોય છે.આવા સમયે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને પણ મળવું અને તેમની મુલાકાત લેવી ખૂબ જ આનંદદાયક વિષય બની રહે છે. તો આવો આજે ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે પ્રાકૃતિક હળદરની ખેતી કરતા ખેડૂત ની મુલાકાત મેરા ગુજરાત આપને લઈ જાય છે અને ખેડૂતો અનુભવ કેવો રહ્યો છે તે તેની જુબાનીમાં સાંભળીયે
વિડીયો અહેવાલ – નીરવ જોશી, સાબરકાંઠા