પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવતા તલાટીઓ હડતાલ પર, હડતાલને લઈને પંચાતિય સેવાઓ ઠપ
Advertisement
ગુજરાત ભરમાં આજે તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઇ હડતાલ ઉપર ઉતરી આવ્યા છે ત્યારે આજે સાબરકાંઠા જિલ્લના હિંમતનગર તાલુકાના તલાટીઓ હિંમતનગરના મહાકાળી મંદિર ખાતે ભગવાન ભોળાનાથની આરાધના કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી રાજ્યના તલાટીઓ છેલ્લા ઘણા સમય થી પોતાની પડતર માંગણીઓને લઇ સરકારમાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહિ આવતા અંતે આજે રાજ્યના તલાટીઓ હડતાલ ઉપર ઉતર્યા.
ત્યારે હિંમતનગર તાલુકાના તલાટીઓ મહાકાળી મંદિર ખાતે શિવ આરાધના કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો મહિલા તલાટીઓ દ્વારા શિવ ધૂન કરવામાં આવી હતી આ કાર્યક્રમમા હિંમતનગર તાલુકાના તમામ તલાટીઓ હાજર રહી હડતાલની સમર્થન આપી ભગવાન ભોળાનાથને જળાભિષેક કરી પ્રાર્થના કરવામાં આવી હતી.