અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં પોલીસે જીલ્લા પોલીસવડા સંજય ખરાતની ઉપસ્થિતિમાં માર્ગદર્શન સેમિનાર યોજ્યો હતો જેમાં ગ્રામ્ય પંચાયતના સરપંચ,પદાધિકારીઓ અને ગ્રામજનો જોડાયા હતા ધનસુરા પીએસઆઈ એન.એમ.સોલંકીએ e-fir અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું
ધનસુરા પોલીસે વડગામ ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી તાલુકામાં આવનાર તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ તાલુકામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃતિઓ અટકાવવા ચર્ચા વિમર્શ કરવામાં આવ્યું હતું સોશ્યલ મીડિયાના ઉપયોગમાં સાવચેતી અંગે તેમજ સાયબર ક્રાઈમનો શિકાર બનતા કઈ રીતે બચી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી