રાજ્યમાં લંપી વાયરસે કહેર વધી રહ્યો છે લંપી વાયરસ ધીરેધીરે સમગ્ર રાજ્યના પશુઓમાં ફેલાઈ રહ્યો છે લંપી વાયરસથી ગાયોના મોત સતત નીપજી રહ્યા હોવાની સાથે પીડાઈ રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોગચાળાને ઝડપથી કાબુમાં લેવામાં આવેની માંગ કરી હતી લંપી વાયરસમાં મોત ભેટેલા પશુઓ દીઠ પશુપાલકને 50 હજારની સહાય કરવામાં આવેની માંગ કરી હતી
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા રાષ્ટ્રીય કિસાન પરિષદ દ્વારા તાલુકા મથકે મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે લંપી વાયરસ ગુજરાતમાં પશુઓ લાગવાથી હજારો ગાયના મોત થઈ રહ્યા છે તેના માટે સરકાર તાત્કાલિક ધોરણે રસીકરણ તેમજ આયોલેશન વોર્ડ ઉભા કરવા ,ડોક્ટર અછત ને ધ્યાન લઈ વેટરનરી ભણતા વિધ્યાર્થીઓ ને કામ લગાવવાથી પહોંચી વળાય મોટા પાયે ઝુંબેશ થાય પશુધન ઓછી નુકસાન થાય એવી સરકાર રજૂઆત કરવામાં આવી હતી