37 C
Ahmedabad
Saturday, April 27, 2024

PM મોદીના દીર્ધાયુ માટે સાવરકુંડલામાં અનોખો યજ્ઞ : જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા 73 વાલ્મિકી યુગલ સાથે મહાયજ્ઞ કરશે


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ 73મો જન્મ દિવસ છે.આ દિવસે આખા દેશમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી માટે 73 વાલ્મિકી સમાજના યુગલોના ચરણ પખાલી તેમના હસ્તે 73 કુંડી હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

Advertisement

Advertisement

અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા સેવાકીય કાર્યો તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા અગ્રેસર રહે છે સમગ્ર દેશમાં વાલ્મિકી સમાજના લોકો સ્વચ્છતા યજ્ઞ ચલાવી રહ્યા છે વાલ્મિકી સમાજને સન્માન તેમજ તેમના યોગદાનને બિરદાવવા માટે સુરેશ પાનસુરીયા અને તેમના પત્ની સુમન પાનસુરીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73 માં જન્મદિવસે તેમના સ્વસ્થ દીર્ધાયુ અર્થે વાલ્મિકી સમાજના 73 યુગલોના સાવરકુંડલામાં સુરેશ પાનસુરીયા ચરણ પખાલી તેમના હસ્તે 73 વિષ્ણુયાગ કુંડી મહાયજ્ઞ યોજવાનો નિર્ણય કર્યો છે આ મહાયજ્ઞમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના વાલ્મિકી સમાજના યુગલોને આહવાન કર્યું છે

Advertisement

અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા વર્ષોથી સેવાની ધૂણી ધખાવી છે જેમાં પછાત અને ગરીબ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન તેમજ શૈક્ષણિક સહાય કરી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!