માણસના યુવા નેતા ગુરૂભા અનોડીયાએ પોલીસ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં રોષ
દિલ્હીના ચોરે ગુજરાતના ચોરો જોડે સમર્થન માંગ્યું, પોલીસને વાલીયા લૂંટારાની ઉપમા,ગ્રેડ પે વધે તો રોડ પર ગાડીઓ ઉભી રાખી ભિખ માંગતા ચોરો હપ્તાખોરી બંધ કરી દેજો નહીં તો ખાવા વારુ કોઈ નહીં રહે
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત ટાણે ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને દેશના શ્રેષ્ઠ પોલીસકર્મી કહીં સરાહના કરી પોલીસકર્મીઓએ ગ્રેડ પે અંગે કરેલ આંદોલનને અનુલક્ષી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પોલીસકર્મીઓને શ્રેષ્ઠ પગાર આપવાની જાહેરાત કરતા ગઈકાલે રાતથી પોલીસકર્મીઓએ વોટ્સઅપ સ્ટેટ્સમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ છવાયા હતા
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસકર્મીઓને ગ્રેડ પે અંગે કેટલાક લોકો ગેરમાર્ગે દોરાતા હોવાનું અને આ મુદ્દે રાજનીતિ કરવી યોગ્ય નથી કહીં રહ્યા છે બીજીબાજુ ભાજપના માણસાના યુવા નેતા ગુરૂભા અનોડીયાએ પોલીસકર્મી સામે પોલીસનું નામ લીધા વગર ચોરો તરીકે આડકતરી રીતે સંબોધી ત્રણ -ચાર પોસ્ટ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા આ પોસ્ટના સ્ક્રીનશોર્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસકર્મીઓમાં ભારે આક્રોશ છવાયો છે અને તેમને પણ સોશ્યલ મીડિયામાં ભાજપના યુવા નેતાની માફીની માંગ કરી છે
ગુજરાતમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ માણસાના ભાજપના યુવા નેતા ગુરૂભા અનોડીયાની પોસ્ટને ભાજપની પોસ્ટ તરીકે ગણી ભાજપ સરકારને પોલીસ ચોર લાગે છે તો હવે ચોરની તાકાત પણ ચૂંટણીમાં જોઈ લેજો અને આ નેતા માફી નહીં માંગે તો ચૂંટણીમાં પરિણામ ભોગવવા તૈયાર રહેજોની ગર્ભિત ચીમકી ઉચ્ચારતી સોશ્યલ મીડિયામાં પોસ્ટ પોલીસકર્મીઓ અને અધિકારીઓના ગ્રુપમાં ફરતી થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી