ગોધરા
પંચમહાલ લોકસભા ચુટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.કોંગ્રેસના યુવાનેતા દૂષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦થી વધૂ કાર્યકરો,હોદેદારો ભાજપમાં જોડાઈ ગયા હતા મૂખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાયા હતા.
પંચમહાલ કોંગ્રેસના યુવાનેતા અને ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતીના ડેલીગેટ એવા દુષ્યતસિંહ ચૌહાણે કોંગ્રેસના વિવિધ હોદ્દા પરથી રાજીનામુ ધરી દેતા ખળખભાટ મચી જવા પામ્યો હતો.કોંગ્રેસ છોડી દીધા બાદ તેઓ કઈ પાર્ટીમાં જોડાશે તે બાબતે સૂચક મૌન ધર્યુ હતુ.મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા દૂષ્યંતસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા હતા.70થી વધુ કાર્યકરો અને વિવિધ હોદેદારો,મહિલા હોદ્દેદારો પણ પણ જોડાયા હતા.શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા.
નોધનીય છેકે પ્રદેશકક્ષાએ અમારી રજુઆતો સાભંળવામા નથી આવતી હોવુ તેમને મિડિયા સમક્ષ જણાવી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધૂ હતુ.આજે વિધીવત ભાજપમા જોડાઈ ગયા હતા.કોંગ્રેસ છોડીને ભાજપમા જોડાયેલા નેતાઓમાં શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમૂખ એ.પી.પટેલ,જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા રશ્મિતાબેન ચૌહાણ,કોંગ્રેસના જીલ્લા મહામંત્રી રંગીતસિંહ પગી( ભલાભાઈ) સહિત કારોબારી સભ્યો,પંચાયત ચુટણી લડેલા ઉમેદવારો,સંયોજકો,વેપારી સેલ,તથા સક્રિય સભ્યોનો સમાવેશ થાય છે.