30 C
Ahmedabad
Monday, April 29, 2024

હર ઘર ત્રિરંગા અભિયાન : દેશપ્રેમી યુવક અબરાર સિંધવાને ત્રિરંગો લહેરાવવા જતા વીજ કરંટ લાગતા નીચે પટકાતા સારવાર દરમિયાન મોત


આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવવા હર ઘર તીરંગા અભિયાન અંતર્ગત લોકોએ પોતાના મકાનો પર તીંરગો લહેરાવી દેશ પ્રેમ ની ભાવના વ્યકત કરી હતી. જેમાં મોડાસા ના આશાસ્પદ યુવાને કોલેજ રોડ પર પર લાગેલ સાઇન બોર્ડ પર ઝંડો લગાવવા જતા વિજ ભાગ ના તારને અડકી જતા શોક લાગતા મૃત્યુ નિપજ્યુ હતું.

Advertisement

Advertisement

બનાવ ની વિગત એવી છે કે 14 ઓગસ્ટ ના દિવસે કોલેજ રોડ પર આવેલ પી.બી સુપર માર્કેટ ની બાજુમાં આવેલ અનારવાલા ની ખાલી પડેલ જગ્યા આગળ લાગેલ સાઇન બોર્ડ પર તીરંગો લગાવવા માટે અબરાર સિધવા ચડ્યો હતો. જે દરમ્યાન વિજ ભાગના તારને અડકી જતા શોક લાગતા નીચે પટકાયો હતો.કરંટ તેની જમણી પાંસણી માં થી બહાર નિકળી ગયો હતો જોકે અબરાર ને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે સાર્વજનીક હોસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે ત્યારબાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અબરારને બ્રેન હેમરેજ થતા છેલ્લા સાત દિવસ થી કોમામાં હતો અને આખરે શનિવારે સવારે આખરી શ્વાસ લેતા પરિવાર પર આભ ફાટ્યુ હતું.

Advertisement

અબરાર યુવાન વયે ફાની દુનિયા ને અલવિદા કરતા તેની પત્ની અને બાળક તેમજ પરિવારજનો ને વિલાપ કરતા મૂકી ગયો. અબરાર ના અકાળે મૃત્યુ થતાં મોડાસા તેમજ સમાજ માં ઘેરા શોક ની લાગણી ફેલાઇ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!