આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવવા હર ઘર તીરંગા અભિયાન અંતર્ગત લોકોએ પોતાના મકાનો પર તીંરગો લહેરાવી દેશ પ્રેમ ની ભાવના વ્યકત કરી હતી. જેમાં મોડાસા ના આશાસ્પદ યુવાને કોલેજ રોડ પર પર લાગેલ સાઇન બોર્ડ પર ઝંડો લગાવવા જતા વિજ ભાગ ના તારને અડકી જતા શોક લાગતા મૃત્યુ નિપજ્યુ હતું.
બનાવ ની વિગત એવી છે કે 14 ઓગસ્ટ ના દિવસે કોલેજ રોડ પર આવેલ પી.બી સુપર માર્કેટ ની બાજુમાં આવેલ અનારવાલા ની ખાલી પડેલ જગ્યા આગળ લાગેલ સાઇન બોર્ડ પર તીરંગો લગાવવા માટે અબરાર સિધવા ચડ્યો હતો. જે દરમ્યાન વિજ ભાગના તારને અડકી જતા શોક લાગતા નીચે પટકાયો હતો.કરંટ તેની જમણી પાંસણી માં થી બહાર નિકળી ગયો હતો જોકે અબરાર ને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર અર્થે સાર્વજનીક હોસ્પિટલ માં ખસેડાયો હતો. જોકે ત્યારબાદ અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અબરારને બ્રેન હેમરેજ થતા છેલ્લા સાત દિવસ થી કોમામાં હતો અને આખરે શનિવારે સવારે આખરી શ્વાસ લેતા પરિવાર પર આભ ફાટ્યુ હતું.
અબરાર યુવાન વયે ફાની દુનિયા ને અલવિદા કરતા તેની પત્ની અને બાળક તેમજ પરિવારજનો ને વિલાપ કરતા મૂકી ગયો. અબરાર ના અકાળે મૃત્યુ થતાં મોડાસા તેમજ સમાજ માં ઘેરા શોક ની લાગણી ફેલાઇ છે.