32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાનનો હવાલો પરત લેવાયો, પિક્ચર હજુ બાકી…?


ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં મોટો ફેરફાર થયો છે, જેમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ અને પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગનો હવાલો પરત ખેંચી લેવાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસુલ રાજ્યમંત્રી તરીકેનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેમજ મંત્રી જગદીશ પંચાલને માર્ગ અને મકાન વિભાગના રાજ્યમંત્રીનો વધારાનો ચાર્જ આપાવમાં આવ્યો છે.

Advertisement

રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગ પરત લેવાયા બાદ હવે તેમની પાસે આપત્તિ વ્યસ્થાપન, કાયદો અને ન્યાયતંત્ર તેમજ વૈધાનિક અને સંસદીય બાબતો આ ત્રણ વિભગાઓ રહ્યાં છે તો પૂર્ણેશ મોદી પાસે માર્ગ અને મકાન વિભાગ પરત લેવાયા બાદ પૂર્ણેશ મોદી પાસે વાહન વ્યવહાર, નાગરિક અને ઉડ્ડયન તેમજ પ્રવાસન અને યાત્રાધામ આ ત્રણ વિભાગો રહ્યાં છે.

Advertisement

ચૂંટણી પહેલા આટલો મોટો ફેરફાર અચાનક કરવામાં આવતા રાજનીતિ ગલિયોમાં એવી અટકળો લાગી છે કે, આ તો હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે, ત્યારે શું આગામી દિવસોમાં હજુ મોટા ફેરફાર થઇ શકે છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!