યુક્રેનમાં સ્વતંત્રતા દિવસ પહેલા ઉત્તર-પૂર્વ શહેર ખારકિવમાં બે દિવસનો કરફ્યુ લાગુ કરાયો છે. ખારકીવમાં ક્ષેત્રીય સૈન્ય અનુસાર રશિયા દ્વારા હુમલો કરવાની આશંકાને પગલે કરફ્યુ લગાવાયો છે. સૈન્યના પ્રમુખે કહ્યુ હતુ કે કરફ્યુ 23 ઓગસ્ટ થી શરૂ થયો જે 25 ઓગસ્ટે સમાપ્ત થશે. રાજધાની કીવમાં ગુરુવાર સુધી સાર્વજનિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કિએ ચેતવણી આપી છે કે રશિયા સ્વતંત્રતા દિવસે આક્રમણ કરવાનો પ્રયાસ કરી શકે છે. યુક્રેનની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતીય રાજદૂત રૂચુરા કંબોજે આંતરરાષ્ટ્રીય કાયદો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર ક્ષેત્રીય ખંડને અને રાજ્યોની સંપ્રભુતાને દોહરાવ્યુ હતું.
Ukraine Crisis : યુક્રેનમાં સ્વતંત્રતા દિવસ પૂર્વે ખારકિવમાં બે દિવસનો કરફ્યુ
Advertisement
Advertisement