39 C
Ahmedabad
Saturday, May 18, 2024

પંજાબ પછી AAPનું મિશન હિમાચલ અને ગુજરાત, જલ્દી પ્રચાર શરૂ કરશે ભગવંત માન અને કેજરીવાલ


પંજાબ ચૂંટણીમાં શાનદાર જીત બાદ આમ આદમી પાર્ટી (આપ) હિમાચલ પ્રદેશ અને ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ બન્ને રાજ્યમાં આ વર્ષે નવેમ્બરમાં મતદાન યોજાશે.

Advertisement

વિશ્વસનીય સૂત્રો અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના બનનારા મુખ્યમંત્રી ભગવંત માન આ બન્ને ચૂંટણી રાજ્યમાં પ્રચાર કરશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત બન્નેમાં અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો સીધો મુકાબલો રહ્યો છે.

Advertisement

સૂરત મહાનગરપાલિકા ચૂંટણીમાં મળેલી સફલતાથી ઉત્સાહિત આપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં તકની એક ઝલક જોવા મળી રહી છે. સૂત્રનું કહેવુ છે કે, જ્યા સુધી હિમાચલનો સવાલ છે, આ પંજાબની સરહદ સાથે જોડાયેલુ છે અને પંજાબમાં આપે પ્રચંડ બહુમત સાથે વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. આપને આશા છે કે પંજાબની લહેર હિમાચલ પ્રદેશ સુધી પણ પહોચશે.

Advertisement

આપે પંજાબ ચૂંટણીમાં 92 બેઠક જીતીને શાનદાર જીત મેળવી છે અને પોતાના મોટાભાગના વિરોધીઓને ખુણામાં ધકેલી દીધા છે. પંજાબની 117 સભ્યની વિધાનસભામાં કોંગ્રેસે 18 બેઠક પર જીત મેળવી હતી. પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ 182 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!