કરણસિંહ પરમાર, જુનાગઢ
જૂનાગઢ શહેરમાં ખાડામાં રોડ કે રોડ પર ખાડા એજ લોકો હજુ સુધી સમજી શક્યા નથી મોટીબાગ સ્વામિનારાયણ રોડથી લઈ અને મધુરમ રોડની હાલત ખસ્તા થતા આ અંગે મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપી રોડનું સમારકામ કરવામાં આવેની રજુઆત કર્યાને ત્રણ દિવસ જેટલો સમય વીતવા છતાં કોઈ કામગીરી ન થતા આખરે શહેરીજનો રોડ પર ઉતરી ચક્કાજામ કરી બહેરા તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો લોકો રોડ પર ઉતરતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના મોટીબાગ સ્વામિનારાયણ રોડથી લઈ અને મધુરમ રોડ પર પડેલા ખાડાઓ અને તૂટેલા રસ્તાઓ અંગે તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર સમારકામ ન કરતા ત્રણ દિવસ અગાઉ મ્યુ.કમિશ્નર ને આવેદનપત્ર આપ્યા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં થતા મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવતા વાહનચાલકો અટવાતા ટ્રાફિકજામ સર્જાયો હતો આખરે પોલીસ અને તંત્ર દોડી આવ્યું હતું અને લોકોને સમજાવી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો