અનંતચૌદશના પવિત્ર પાવન દિને
ભિલોડાના ખાડીયા ચોકમાંથી ગણેશજીની શોભાયાત્રા બાદ હાથમતી નદીમાં વિસર્જન કરાશે
ગણપતી બાપા મોરીયા,અગલે બરસ તુમ જલ્દી આના…
ખાડીયા ચોકમાં 46 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી
ભાદરવા સુદ,ચૌદશ અને અનંત ચૌદશના પવિત્ર પાવન દિને અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે મેઈન બજાર વિસ્તારમાં આવેલ ખાડીયા ચોકમાંથી ગણેશજી ની વાજતે – ગાજતે , અબીલ,ગુલાલની છોળો વચ્ચે ભકિતભાવ પુર્વક આનંદ ઉલ્લાસભેર,ભકિતભાવ સાથે શોભાયાત્રા નિકળ્યા બાદ ગણપતી બાપાની મુર્તીનું હાથમતી નદીમાં વહેતા જળમાં વિસર્જન કરાશે તેમ સતિષભાઈ શાહ,ભરતભાઈ ત્રિવેદી સહિત આયોજકોએ જણાવ્યું હતું.
ભિલોડાના ખાડીયા ચોકમાં છેલ્લા 46 વર્ષથી ગણેશ મહોત્સવ દરમિયાન ગણપતી દાદાની આબેહુબ મુર્તીનું સ્થાપન થાય છે.સતત દસ દિવસ સુધી પુજન,અર્ચન,નૈવેધ ધરાવીને આરતીનો ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે.ગણપતી દાદાને પ્રિય એવા મોદકનો પ્રસાદ ધરાવીને પ્રસાદની વહેંચણી થાય છે.ભજન – કિર્તનનું આયોજન કરાયું હતું.ભવાઈનું આયોજન કરાયું હતું.ગણેશ મહોત્સવ દરમિયાન સર્વત્ર આવકાર મળતા ખાડીયા ચોકમાં ભાવિક – ભક્તોએ શ્રી અષ્ટવિનાયક
ગણપતી બાપા નું મંદિર પણ બનાવ્યું છે.