29 C
Ahmedabad
Saturday, April 27, 2024

પંચમહાલ: આધેડ ગુરૂ શિષ્યાને લઇને ફરાર થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ


શિક્ષક વિદ્યાર્થી વચ્ચેના પવિત્ર સબંધને લજવતો કિસ્સો, પ્રેમના પાઠ ભણાવી આધેડ ઉમરના ગુરૂ શિષ્યાને લઈને ફરાર થતા શિક્ષણ જગતમાં ખળભળાટ

Advertisement

આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યનો સબંધ અતિપવિત્ર માનવામાં આવે છે. કારણ કે ગુરુ શિષ્યને જ્ઞાન આપીને એક ઉત્તમ ભવિષ્યનું નિર્માણ કરવામા ફાળો આપે છે.પરંતુ કયારેક સમાજમાં બનતી કેટલીક ઘટનાઓ સમાજ માટે ચિંતાજનક બની રહી છે,જીલ્લાના હાલોલ તાલુકામા શાળાના એક આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીની શારિરીક અડપલા કર્યાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી.શહેરા તાલુકામાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે.શાળાની સગીર વિદ્યાર્થીનીને શિક્ષક ભગાડી ગયાની ઘટનાની તાલુકાના શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી એક ગામની શાળામાં શિષ્ય અને ગુરુના પવિત્ર સંબધોને લજવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.જેમાં શાળામા ધોરણ 12માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીને એજ શાળામાં ફરજ બજાવતા શિક્ષક ફોસલાવીને ભગાડી જતા ચકચાર મચી જવા પામી છે.સગીર કિશોરીના માતાપિતાએ શોધખોળ હાથ ધરતા પુત્રી મળી નહી આવતા તેને શિક્ષક નિમેશ પટેલ ભગાડી ગયો હોવાની માલુમ થતા પરિવાર શહેરા પોલીસ મથકે દોડી આવ્યુ હતુ,અને હકીકત પોલીસને જણાવતા પોલીસે તપાસ ફરિયાદ નોધીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!