અરવલ્લી જીલ્લાના બસ મથકો પર મુસાફરોને ટાર્ગેટ કરતી અનેક ટોળકીઓ સક્રિય છે શામળાજી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાનો અભાવ હોવાથી ચોર તસ્કર ટોળકી બેફામ બની મુસાફરોના કિંમતી માલસામાન, પાકીટ સહીત મોબાઈલ ચીલઝડપ કરવાની અવાર-નવાર ઘટનાઓ બનતી રહેતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે શામળાજી બસ સ્ટેન્ડમાં બસમાં ચઢવા જતા વેપારીના ખીસ્સામાંથી ગઠીયો મોબાઇલની તસ્કરી કરી પલાયન થતા વેપારી બેબાકળો બન્યો હતો બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા અને પોલીસ ચેકીંગ સઘન બનાવામાં આવેની માંગ પ્રબળ બની છે
શામળાજીમાં દરજી કામ કરતા અંકિત અમૃતભાઈ પંચાલ નામના વેપારી શુક્રવારે સાંજે શામળાજી બસ સ્ટેન્ડમાં ઇડર-ઉંડવા બસમાં બેસવા જતા બસના પગથિયા ચઢતા સમયે ભીડનો લાભ લઇ ગઠિયાએ વેપારીના ખીસ્સામાંથી 15 હજારથી વધુની કિંમતનો મોબાઈલની તસ્કરી કરી પલાયન થઇ ગયો હતો બસમાં બેઠા પછી ખિસ્સામાંથી મોબાઈલ ગાયબ થતા વેપારીએ બુમાબુમ કરી મૂકી હતી વેપારીઓનો મોબાઈલ ચોરાઈ જતા મુસાફરોમાં ભારે આક્રોશ છવાયો હતો બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરાના હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું શામળાજી પોલીસને વેપારીએ અરજી આપતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અરવલ્લી : શામળાજી બસ સ્ટેન્ડમાં બસમાં ચઢતા વેપારીનો મોબાઈલ ચોરે સરકાવી લીધો, બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા ક્યારે લાગશે..!!
Advertisement
Advertisement