31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ધુળેટી 2022- ત્વચાની એલર્જીથી રાહત મેળવવા માટે ફાયદાકારક, કલરથી બચવા શું કરવું !


નાળિયેર તેલમાં ત્વચાની સારવારના ગુણો હોય છે. નાળિયેર તેલ ત્વચાની લાલાશ, એલર્જી અને બળતરાને દૂર કરવામાં ફાયદાકારક છે. જો રંગ દૂર કર્યા પછી પણ તમને એલર્જી હોય, તો અસરગ્રસ્ત વિસ્તારમાં નાળિયેરનું તેલ લગાવો. એલોવેરા જેલ પણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. કલર લગાવતા પહેલા તમારી ત્વચા પર એલોવેરા જેલ લગાવો.

એલોવેરા : એલોવેરા ત્વચા માટે ખૂબ જ ઉપયોગી હોય છે, આયુર્વેદમાં પણ એલોવેરાનું મહત્વ સમજાવાયું છે, ત્યારે  એલોવેરા જેલ ત્વચા પણ ખૂબ જ લાભદાયી હોય છે, ધુળેટી સમયે કલર થાય તે પહેલા એલોવેરા જેલ ત્વચા પર લગાવવી જોઇએ.

ઘસવું નહીં : જો હોળી રમ્યા પછી તમારી ત્વચા પર એલર્જી અથવા ખીલ છે, તો સ્નાન કરતી વખતે તેને ઘસો નહીં. આ એલર્જીને વધુ ખરાબ કરી શકે છે.

સ્નાન કરો : ઙોળી અથવા તો ધુળેટી રમ્યા પછી સ્નાન કરવું ખૂબ જ જરૂરી હોય છે, ધુળેટી રમ્યા પછી લોકો ગરમ પાણીથી સ્નાન કરે છે, જેથી એલર્જીને વધુ ખરાબ કરી શકે છે. ગરમ પાણીને બદલે ઠંડા અથવા સાદા પાણીથી સ્નાન કરવું જોઇએ તેવું નિષ્ણાંતો માને છે.

ક્રીમ લગાવો : જો તમને હોળીના દિવસે પેઇન્ટથી એલર્જી હોય તો એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરો. સ્નાન કર્યા પછી ત્વચા પર એન્ટિસેપ્ટિક ક્રીમ લગાવો.

નોંધ – કોઇપણ પ્રકારની આયુર્વેદિક દવા અથવા તો ઔષધનો ઉપયોગ કરતા પહેલા, ફેમિલી તબીબ નિષ્ણાંતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!