વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ કંપનીઓ પર દરોડાનો દોર શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે, રાજ્યના અલગ અલગ શહેરોમાં ઈકો સેલના દરોડા પડ્યા છે, જેમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઈકો સેલના દરોડ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને મોરબીમાં પડ્યા હતા, જ્યાંથી 200 કરોડના જીએસટી ટ્રા્જેક્શન કૌભાંડની શક્યતાઓ સેવાઈ રહી છે.
ઈકો સેલના દરોડામાં મોરબી, જુનાગઢ, ભાવનગર સહિતના જિલ્લા પોલિસની પણ મદદ લેવામાં આવી રહી છે. દરોડામાં 21 કંપીઓ ઊભી કરીને ખોટા બિલ બનાવ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, આ સાથે જ બિલ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ સમગ્ર દરોડામાં 12 જેટલી ટીમ દ્વારા દરોડા પાડીને 12 લોકોની અટકાયત કરવામાં આવી છે, અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.