29 C
Ahmedabad
Friday, April 26, 2024

સંસદમાં આજે પણ હંગામો, સંસદની કાર્યવાહી પહેલા ખડગેએ કરી વિપક્ષની બેઠક


સંસદના શિયાળુ સત્રમાં તવાંગ મામલો ગરમાયો છે. સંસદના શિયાળુ સત્રનો 12મા કાર્યકારી દિવસે પણ હંગામો થવાની ધારણા છે કારણ કે વિપક્ષ ચીનના મુદ્દા પર ચર્ચાની માંગ પર અડગ છે. વિપક્ષ સંસદના બંને ગૃહોમાં આ અંગે ચર્ચાની માંગ કરી રહ્યું છે. બુધવારે પણ વિપક્ષે સંસદ ભવન બહાર પ્રદર્શન કર્યું હતું. ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા બદલ વિપક્ષ પણ સરકારને ઘેરી શકે છે. આ ઉપરાંત, કેન્દ્ર તમિલનાડુ, હિમાચલ અને કર્ણાટકમાં એસટી યાદીમાં સુધારો કરવા માટે રાજ્યસભામાં ત્રણ બિલ રજૂ કરશે. ત્યારે ગૃહમાં હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

Advertisement

કોંગ્રેસ સાંસદ રંજીત રંજને ચીન સાથેની સરહદની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી હતી. તમિલ મનિલા કોંગ્રેસ (મૂપનાર) ના સાંસદ જીકે વાસને રાજ્યસભામાં “દેશમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથાને સમાપ્ત કરવાની જરૂરિયાત” પર ચર્ચા કરવા માટે ઝીરો અવર નોટિસ આપી હતી.

Advertisement

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ અનિલ દેસાઈએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ની દિવાલો પર જાતિવાદી ટિપ્પણીના મુદ્દે રાજ્યસભામાં ઝીરો અવર નોટિસ આપી છે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં નિયમ 267 હેઠળ કોરોનાના તોળાઈ રહેલા ખતરા અને તેની સાથે વ્યવહાર કરવા માટે સરકારની તૈયારી અંગે ચર્ચા કરવા માટે સસ્પેન્શન ઑફ બિઝનેસ નોટિસ આપી છે.

Advertisement

સંસદની કાર્યવાહી પહેલા થઈ વિપક્ષની બેઠક
વિપક્ષી દળોના નેતાઓ આજે સવારે 10 વાગ્યે સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે બેઠક કરી. કેન્દ્ર સરકારને ઘેરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા વિપક્ષી પક્ષોના નેતાઓ સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને તેમની ચેમ્બરમાં મળ્યા હતા. આ બેઠકમાં સર્વસંમતિથી ચીન સાથેની સરહદનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!