ભારતની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે તેના મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ ઇન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટ લીધી હતી. આ ટેસ્ટમાં નાપાસ થયેલા લગભગ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
બધા ફ્રેશર્સ બરતરફ
મળતી માહિતી મુજબ આ તમામ કર્મચારીઓ ફ્રેશર છે. તે કંપનીમાં લેવામાં આવતી એક પ્રકારની એસેસમેન્ટ ટેસ્ટ હતી. જેમાં નોન પરફોર્મિંગ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જો કે કંપનીએ આ અંગે કંઈ કહ્યું નથી.
ઈન્ફોસીસ ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી કંપની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બરતરફ કરાયેલા કેટલાક કર્મચારીઓ ઓગસ્ટ 2022માં જ જોડાયા હતા. કંપનીએ તેને છ મહિનામાં જ નોકરીમાંથી કાઢી મૂક્યો. તમને જણાવી દઈએ કે ઈન્ફોસિસ એક ભારતીય બહુરાષ્ટ્રીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની છે. તે બિઝનેસ કન્સલ્ટન્સી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે.