યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે, તે સંઘર્ષ વિરામ ઇચ્છે છે. રશિયન સેના પરત ફરે અને યુક્રેનની સુરક્ષાની ગેરંટી સાથે ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે, નાટો માં સભ્ય ન બનવાની સાથે રશિયા સાથે ચર્ચા કરવા તૈયાર છે.
ઝેલેન્સ્કીએ સોમવારે મોડી રાત્રે યુક્રેની ટેલિવિઝન ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સીધી વાતચીત કરવા માટે તૈયાર છે, કારણ કે, યુક્રેની લોકોના હિતનો સવાલ છે. તેમણે એમ પણ કહ્યું કે, જ્યાં સુધી પુતિનને નહીં મળીએ, ત્યાં સુધી એ સમજવું અઘરૂ છે કે, રશિયા યુદ્ધ સમાપ્ત કરવા ઇચ્છે છે કે, નહીં.