34 C
Ahmedabad
Sunday, May 19, 2024

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં વિસ્ફોટ પ્રકરણ : ઘટના ચાર દિવસ પછી પણ નજીકના રહેણાંક વિસ્તારમાં ભય,ગમે ત્યારે ધડાકા થતા ઉંઘ હરામ


તુલસીવિલા રેસીડેન્સી સહીત આજુબાજુના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકો મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં થયેલ ભયાનક વિસ્ફોટ અને ભીષણ આગ હજુ પણ ભૂલી શક્યા નથી

ઘટનાના ચાર દિવસ પછી પણ ગોડાઉનમાં સતત નાના-મોટા વિસ્ફોટ થવાની સાથે આગના લબકારા જોવા મળી રહ્યા છે

મોડાસા-હિંમતનગર રોડ પર લાલપુર કંપા નજીક આવેલ મહેશ્વરી ક્રેકર્સ નામના ગોડાઉનમાં ફટાકડાનું ટેસ્ટીંગ દરમિયાન એક બાદ એક ભયાનક વિસ્ફોટ થતા ગોડાઉનમાં સેન્ટીંગનું કામ કરી રહેલા 4 શ્રમિકો આગમાં ભડથું થઇ જતા ભારે ચકચાર મચી છે આ મામલે ગોડાઉન માલિક દેવકીનંદન અને મહાદેવ મહેશ્વરી બંધુ સામે બેદરકારીથી મૃત્યુ નિપજાવવા સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનમાં ભયાવહ વિસ્ફોટ અને પછી ફાટી નીકળેલી આગ પર ફાયર બ્રિગેડ ટીમે 16 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે હજુપણ રાખ અને મલબા નીચે રહેલ દારૂખાનું હોવાથી સતત નાના -મોટા વિસ્ફોટ થવાની સાથે આગ લાગતા લોકોમાં ફફડાટ ફેલાયો છે

Advertisement

મહેશ્વરી ક્રેકર્સ ગોડાઉનની નજીક આવેલ તુલસીવિલા રેસીડેન્સીમાં રહેતા લોકો હજુ પણ ગોડાઉનમાં થયેલ જબરજસ્ત વિસ્ફોટ અને ભીષણ આગના દ્રશ્યો માનસ સપાટ પરથી ભૂલી શક્યા નથી બીજીબાજુ હજુ પણ ગોડાઉનમાં રહેલ દારૂખાનું ગમે તે ઘડીએ ફૂટતું રહેતું હોવાથી નજીકમાં રહેતી મહિલાઓ અને બાળકો છેલ્લા ચાર દિવસથી ઉંઘી પણ શક્યા નથી સ્થાનિક યુવકના જણાવ્યા અનુસાર દર બે કલાકે વિસ્ફોટ થતા ઘર છોડીને ભાગવું પડી રહ્યું છે ધંધા રોજગાર પર નીકળ્યા પછી પણ વિસ્ફોટ નો ભય રહેતા મહિલાઓ અને બાળકો ઘરે રહેવા પુરુષોને અનુરોધ કરી રહી છે તંત્ર ઝડપથી ગોડાઉનમાં સાફ સફાઈ કરી બચી ગયેલા બારુદનો નિકાલ કરે તેવી માંગ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!