તમિલનાડુમાં નકલી દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા છે. આ મામલામાં રાજ્યના સીએમ એમકે સ્ટાલિને કહ્યું કે ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે નકલી દારૂના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ વાત કરી હતી. જો કે, વિપક્ષે જવાબ મામંગ્યો હતો સાથે જ મહાસચિવ અને વિપક્ષના નેતા કે પલાનીસ્વામીએ કહ્યું કે તેમની પાર્ટીના નેતૃત્વ હેઠળના 10 વર્ષના શાસન દરમિયાન નકલી દારૂને રાજ્યમાં કોઈ સ્થાન નથી.
આ ઘટના રવિવારે રાત્રે માર્કનમના એકકિયારકુપ્પમમાં બની હતી, જેમાં પીડિતોની ઉંમર 45 થી 55 વર્ષની વચ્ચે હોવાનું કહેવાય છે. પુડુચેરીમાં નકલી દારૂ પીનારા વધુ બે લોકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કેસ નોંધ્યા બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. સીએમ સ્ટાલિને મૃત્યુ પામેલા ત્રણ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે માર્કનમ ઘટનાના સંબંધમાં બે ઈન્સ્પેક્ટર સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોને 50,000 રૂપિયા વળતર આપવાનું વચન આપ્યું છે.
AIADMK અને PMKએ નકલી દારૂના કેસમાં શાસક સરકાર પર નિશાન સાધ્યું હતું. AIADMK મહાસચિવ અને વિપક્ષના નેતા કે પલાનીસ્વામીએ કહ્યું કે તેમની પાર્ટીના નેતૃત્વ હેઠળના 10 વર્ષના શાસન (2011-2021) દરમિયાન નકલી દારૂને રાજ્યમાં કોઈ સ્થાન નથી. તેમણે નકલી દારૂના કારણે થયેલા મૃત્યુ માટે શાસક ડીએમકે પાર્ટીને જવાબદાર ઠેરવી હતી.
તેણે ટ્વીટ કરીને કહ્યું- “હવે આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ.” પીએમકેના સ્થાપક ડૉ. એસ રામદોસે પણ ટ્વીટ કરીને નકલી દારૂના વેચાણ સામે અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.