માલપુર માર્કેટયાર્ડના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલના પુત્ર નિશ્ચલ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવતા અભિનંદનની વર્ષા થઇ હતી માલપુર માર્કેટયાર્ડના ચેરમેન નિશ્ચલ પટેલે ખેડૂત અને વેપારી હિત સર્વોપરી રહેશે અને માલપુર માર્કેટયાર્ડની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહીશ તેવો હુંકાર વ્યક્ત કરી બિન હરીફ વરણી કરનાર માર્કેટયાર્ડના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસ યુવા ટીમમાં કામ કરનાર નિશ્ચલ પટેલની માલપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન તરીકે વરણી થતાં પંથકના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.





