28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

અરવલ્લી : મોડાસા નગરપાલિકાની અણઆવડત..!! ગુરુકુલ સોસાયટી કાદવ-કીચડ, પાણી નિકાલની ગટરનું કામકાજ યોગ્ય ન હોવાનો આક્ષેપ


 

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપર્યા છતાં પણ ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરવાની ઘટનાઓ બની રહી છે શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ યોજનમાં ખોદેલા ખાડાઓમાં ભુવા પાડવાની ઘટનાઓ સતત બની રહી છે મોડાસા શહેરની ગુરુકુલ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નંખાયેલ ગટર લાઈનનું યોગ્ય રીતે કામકાજ કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ રહેતા સોસાયટીના માર્ગો પર કાદવ- કીચડ થવાની સાથે પાણી ભરાઈ રહેતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે સોસાયટીના જાગૃત યુવકે સોશ્યલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો

Advertisement

મોડાસા સ્વામિનારાયણ મંદિર સામે આવેલી ગુરુકુલ સોસાયટીમાં નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે પરંતુ લેવલ નહીં જળવાતા વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ રહેતા સોસાયટીના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે ગટર નિર્માણ પછી રોડ રસ્તા ન બનતા કાદવ-કીચડના થર જામી જતા રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભય રહીશોના માથે મંડરાઈ રહ્યો છે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે જાગૃત યુવકે ગુરુકુળ સોસાયટીમાં નિર્મિત ગટરલાઇનમાં હલકી કક્ષાની પાઈપલાઈન નાખી ભ્રષ્ટાચાર આચારવમાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!