સરડોઈ નાં જાણીતા લોકસાહિત્યકાર મોતીભાઈ નાયકને સારસ્વત સન્માન કરવામાં આવ્યું
Advertisement
મમતા વિકલાંગ શિશુ વિહાર નાં મેનેઝિંગ ટ્રસ્ટી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જયંતીભાઈ પટેલ અને તેમનાં ધર્મપત્ની લીલાવતીબેન પટેલની સેવાકીય પ્રવૃત્તિઓને સારસ્વતો દ્વારા બિરદાવવા માં આવી હતી
હિંમતનગરના મમતા દિવ્યાંગ શિશુવિહાર માં 30મી ઓક્ટોબર નાં રોજ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર પરાજીતભાઈ પટેલ ની 84મો જન્મદિવસ મમતા સંસ્થા નાં આદ્યસ્થાપક -રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જયંતીભાઈ પટેલ અને તેમનાં ધર્મપત્ની લીલાવતીબેન ની નિશ્રાદીપ પ્રાગટ્ય કરી માં ઉજવવા માં આવી હતો.અધ્યક્ષ સ્થાને થી તેમજ ઉપસ્થિત સારસ્વતો દ્વારા મમતા દિવ્યાંગ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. યોગાનુયોગ આ પ્રસંગે જાણીતા લોકસાહિત્યકાર મોતીભાઈ ભગવાનભાઈ નાયક (સરડોઈ )નું પ્રસંગોચીત સારસ્વત સન્માનપુસ્તક -પુષ્પગુંચ્છ આપી કરવામાં આવ્યું હતું. લેખક મોહનભાઇ પટેલ દ્વારા સભા નું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. સાહિત્યકાર પરાજીતભાઈ પટેલ નાં અનેક ચાહકોએ ઉપસ્થિત રહી જન્મદિવસની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. મમતા સંસ્થા નાં તમામ શિશુઓને આ પ્રસંગે દાતાઓએ યુનિફોર્મ, કીટ અને મીઠાઈ આપી સદભાવના વ્યક્ત કરી હતી. સ્વરૂચી અને પ્રીતિભોજન લઈ સૌએ મમતા જનસેવા પ્રવૃત્તિ ઓના મુક્ત મને વખાણ કર્યા હતા