28 C
Ahmedabad
Tuesday, April 30, 2024

સાબરકાંઠા : મોડાસા જાયન્ટ્સ સહિયર પરિવાર દ્વારા બીજા દિવસે મંદિરોમાં જીવદયા કાર્યક્રમ


મોડાસા જાયન્ટ્સ સહિયર દ્વારા પૂર્વ સહિયર સેવાભાવી પ્રમુખ બકુલાબેન વાઘેલાને શ્રદ્ધાંજલિ આપવા માટે પરિવારે ચાર દિવસીએ અભિયાન પક્ષીઓને ચકલી ઘર ,પાણીના કુંડા ના વિતરણનો શુભારંભ નગરપાલિકાના કારોબારી ચેરમેન અતુલ જોષી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું સાઈ મંદિર ના પૂજારી રોહિતભાઈ (ભોલાભાઈ) જોષી સાથે પક્ષી માળા પાણીના કુંડા નું મંદિરે આવતા ભક્તોને વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સોમનાથ મંદિર રામપાર્ક ના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ સાથે ભક્તોને ચકલી ઘર પાણીના કુંડા આપવામાં આવ્યા ઉમિયા માતાજી મંદિર માં વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા આવનાર ભક્તોને ચકલી ઘર પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું. ત્યાંથી જાયન્ટ્સ મેમ્બરો દ્વારા દેવરાજ ધામમાં મહંત ધનગીરી ગોસ્વામી દ્વારા મંદિરમાં આવતા જુદા જુદા ગામના ભક્તોને ચકલી ઘર તેમજ પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું ગામના અગ્રણીઓની હાજરીમાં બીજા દિવસે જીવદયા પ્રેમી નિલેશ જોષી ચકલી ઘરના દાતા જાયન્ટ્સ માલપુર પ્રમુખ મહેશ પટેલ પાણીના કુંડા ના દાતા સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા ઝોન ડાયરેક્ટર ડાયરેક્ટર વનિતાબેન પટેલ ઝોન ડાયરેક્ટર પ્રવિણ પરમાર જાયન્ટ્સ પરિવારના પ્રદીપ ખંભોળજા સહિયર મંત્રી છાયાબેન સોની વિનોદ ભાવસાર, દક્ષાબેન ભાવસાર સહિયર પ્રોજેક્ટ ડાયરેક્ટર અમિતા સોલંકી મંદિરમાં આવતા ભક્ત ગણ જોડાયા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!