ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો અમદાવાદ ખાતે તિરંગા યાત્રા માં જોડાશે અમદાવાદ ખાતે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન નિકોલ ખાતે ભવ્ય તિરંગા રેલી નું આયોજન કરેલ છે. જેમાં ખેડબ્રહ્મા વિધાનસભામાંથી આશરે ૧૫૦ જેટલા કાર્યકર્તાઓ જોડાવાના છે. જેમાં ખેડબ્રહ્મા વિધાનસભા ના પ્રભારી સી.એમ.પટેલ, જીલ્લા ઉપપ્રમુખ શિરીષ ત્રિવેદી ઉત્તર ગુજરાત સોશિયલ મીડિયા ઇન્ચાર્જ નિકુંજ જોશી, વિધાનસભા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ યોગેન્દ્રસિંહ,સંગઠન મંત્રી સી ડી પરમાર તાલુકા પ્રમુખ ખેડબ્રહ્મા વિજયભાઈ પટેલ પોશીના તાલુકા પ્રમુખ રમેશભાઇ વગેરે પદાધિકારીઓ જોડાશે