ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઇ છે ત્યારે પંજાબ અને દિલ્હીના મુખ્યમંત્રી અમદાવાદ ખાતે પહોંચતા આપ કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા આપ ના કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તેમજ ઇસુદાન ગઢવી સહિતના આગેવાનો એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં બંન્ને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો 3 એપ્રિલના રોજ એક સાથે રોડ શો અમદાવાદમાં યોજાવા જઈ રહ્યાે છે ત્યારે રોડ શોમાં પોલીસ તંત્ર દ્વારા પરમિશન આપવામાં આવી છે. અરવિંદ કેજરીવાર અને ભગવંત માન 1 એપ્રિલના રોજ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, તાજ સ્કાયલેન હોટેલ ખાતે તેઓ આજે રાત્રિ રોકાણ કરશે. 2 એપ્રિલના રોજ 10 વાગે તેઓ સાબરમતી ગાંધી આશ્રમ બાપૂના દર્શન કરી આશિર્વાદ મેળવશે. ત્યાર બાદ 4 વાગે બાપુગર ખાતે તિરંગા યાત્રાની શરૂઆત કરશે.
3 તારીખે શાહીબાદ સ્વામિનારાયણ મંદીર ખાતે દર્શન કરવા માટે જશે. બીજા દિવસે ગુજરાતના તમામ કાર્યકર્તાઓ, પાર્ટીના મુખ્ય નેતાઓ, કાર્યકરો સાથે આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરશે.
દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીનો એક સાથે ભવ્ય રોડ શો આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાનના રોડ શો બાદ આ રોડ શો થશે. ખાસ કરીને ગુજરાતીઓ નું સૌથી વધુ પ્રભુત્વ છે તેવા પૂર્વ વિસ્તારમાં જ આ રોડ શો યોજાશે. ત્યારે અત્યારથી જ તેમના રોડ શોના લાગેલા પોસ્ટર્સ ફાડવામાં આવી રહ્યા છે. આપનો આક્ષેપ છે કે, આ બીજેનું કામ છે.