શ્રીલંકામાં ગંભીર આર્થિક અને રાજકીય કટોકટી વચ્ચે કેબિનેટના સામૂહિક રાજીનામા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં ચાર નવા મંત્રીઓએ શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે સમક્ષ ભૂતપૂર્વ ન્યાયમંત્રી અલી સબરીએ નવા નાણામંત્રી તરીકે જી.એલ.પીરીસીને વિદેશમંત્રી તરીકે દિનેશ ગુણવર્ધને શિક્ષણમંત્રી તરીકે તેમજ જોન્સ્ટન ફર્નાન્ડોને ધોરીમાર્ગ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો વિપક્ષી પાર્ટીઓ સંયુક્ત સરકાર બનાવવા માટે સહમત થાય તો આગામી દિવસોમાં વધુ મંત્રીઓ કેબિનેટમાં શપથ ગ્રહણ કરી શકે છે. શ્રીલંકામાં વિરોધના વંટોળ વચ્ચે સરકાર સમક્ષ આર્થિક કટોકટી, વીજ કાપ અને અન્ય આવશ્યક પુરવઠાની અછતને પહોંચી વળવાની માંગ ઉભી થઈ છે.
શ્રીલંકામાં ગંભીર આર્થિક અને રાજકીય કટોકટી વચ્ચે રાષ્ટ્રપતિ ભવનમાં ચાર નવા મંત્રીઓએ શપથ લીધા
Advertisement
Advertisement