જમ્મુ – કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ગઈકાલે સાંજે શ્રીનગર શહેરના મૈસુમા વિસ્તારમાં આંતકવાદીઓ દ્વારા ગોળીબાર કરતાં CRPFના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજા પામેલા જવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, હેડ કોન્સ્ટેબલ વિશાલ કુમારનું મોત થયું હતું. નાગરિક જાનહાનિ ના થાય તે હેતુથી સુરક્ષાદળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને તપાસ અભિયાન ચાલુ છે. આંતકીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લાજુરા વિસ્તારમાં બિહારના રહેવાસી બે મજૂરો પર ગોળીબાર કર્યો હતો, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં તેમની તબિયત સ્થિર હોવાના અહેવાલ છે.