43 C
Ahmedabad
Monday, May 20, 2024

વ્યથા : મેઘરજ ITI માંથી 4 ચોકીદારને છૂટા કરી દેવાતા રોષ, 2 દિવસનું અલ્ટિમેટમ, અધિકારીઓ અને એજન્સીની મિલીભગતનો આક્ષેપ, શું કહ્યું સાંભળો


અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલી આઈ.ટી.આઇ. માં ફરજ બજાવતા 4 જેટલા ચોકીદારને છૂટા કરી દેવાતા રોષ જોવા મળ્યો અને મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. ગુજરાત રાજ્ય વાલ્મિકી સંગઠન દ્વારા ચોકીદારોના સમર્થમાં આવેદન પત્ર આપી તાત્કાલિક છૂટા કરાયેલા ચોકીદારોને પરત લેવાની માંગ કરવામાં આવી છે. છૂટા કરાયેલા ચોકીદારોને જો પરત લેવામાં નહીં આવ તો કચેરી બહાર ધરણા કરવાની વાલ્મિકી સંગઠન દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

ગુજરાત રાજ્ય વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું કે, ઘણા વર્ષોથી 1.અમરતભાઈ મનદીભાઈ મનાત, 2. ભવદીપભાઈ રમેશભાઈ સોલંકી, 3. દીલીપભાઈ વાલજીભાઈ રોત અને 4. રાજેન્દ્રભાઈ મોબનભાઈ જવાત ચારેય કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક વોચમેન તરીકે ફરજ બજાવતા હતા. સંગઠનનું કહેવું છે કે, કોરોના જેવી મહામારીમાં પણ આ કર્મચારીઓએ પોતાની જવાબદારીથી હટ્યા નથી. અચાનક આ ચોકીદારોને છૂટા કરી દેવામાં આવતી પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે સવાલ છે.

Advertisement

Advertisement

વાલ્મિકી સંગઠને આક્ષેપ કર્યો છે કે, તમામ ચોકીદારોને આશરે 3 મહિના અગાઉ પોતાના પગાર વધારાની વાત આ સંસ્થાના આચાર્ય અને એજન્સીને કરી હતી, ત્યારથી જ આચાર્ય અને પ્રિન્સીપાલ દ્વારા તમામ ચોકીદારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ખોટી રીતે તેઓને છૂટા કરવા માટે પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. આ સાથે જ તમામ ચોકીદારોને જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ બાલ્મિકી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે અને મેઘરજ મામલતદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત વાલ્મીકી સંગઠનની ચિમકી
મેઘજર આઈ.ટી.આઈ. માંથી છૂટા કરાયેલા ચારેય ચોકીદારને જો બે દિવસમાં પરત નહીં લેવામાં આવે તો 8 એપ્રિલના રોજ સવારે 10 કલાકથી અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. સાંભળો શું કહ્યું વાલ્મિકી સંગઠનના આગેવાન લાલજી ભગત અને છૂટા કરાયેલા કર્મચારીઓએ..

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!