પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ વ્યવસ્થાના લઇને નવી દિલ્હી ખાતે હોદ્દેદારો સાથે બેઠક યોજી
Advertisementઅરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુ મનાત પણ રહ્યા ઉપસ્થિત
Advertisementગુજરાતના વિવિધ જિલ્લાના 18 જેટલી જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ પીએમ મોદી પાસેથી માર્ગદર્શન મેળવ્યું
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતો ના 18 જેટલા સભ્યો સાથે નવી દિલ્હીમાં મુલાકાત બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતોના આ સભ્યો સાથેની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લા પંચાયતોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટેની જે કામગીરી થઇ છે તેમાં પંચાયતના સભ્યો ના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જન સમુદાય સુધી વ્યાપક બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભૂમિકા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમજાવી હતી. આ બેઠકમાં અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુ મનાત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.