ગીતા અનુસાર ક્ષત્રીય ધર્મ નું પાલન કરવા રાજપૂત યુવાનો ને ક્ષત્રિયત્વ ના પાઠ ભણાવવા ક્ષત્રિય યુવક સંઘ દ્વારા મોડાસા ના કુડોલ કંપા ખાતે એક દિવસીય શિબિર યોજાઈ
અરવલ્લી જિલ્લા માં મોડાસા કુડોલ કંપા ખાતે ક્ષત્રિય યુવક સંઘ દ્વારા એક દિવસીય શિબિર યોજાઈ હતી આ ક્ષત્રિય યુવક સંઘ ની સ્થાપના ૧૯૪૬ માં પૂજ્ય તનસિંહજી દ્વારા રાજપૂત યુવાનો અને મહિલાઓ માં રાજપુતી સંસ્કાર જળવાઈ રહે તે માટે કરવામાં આવી હતી. તે અંતર્ગત મોડાસા તાલુકા ના કુડોલ કંપા ખાતે એક દિવસીય શિબિર યોજવામાં આવી હતી. જેમાં તાલુકાના 70 જેટલા રાજપૂત ભાઈઓ એ ભાગ લીધેલ હતો. ક્ષત્રિય યુવક સંઘ ના વિક્રમસિંહ કમાણા વનરાજસિંહ ભેંસાણા, રાજેન્દ્રસિંહ ભેંસાણા, પૂર્ણચંદ્રસિંહ છેલ્લીઘોડી ઉપસ્થિત રહી રાજપૂત યુવાનો ને ક્ષત્રિયત્વ ના પાઠ ભણાવ્યા અને ગીતા અનુસાર ક્ષત્રીય ધર્મ નું પાલન કરવા જણાવ્યું હતું, અને આગામી સમય માં સમગ્ર જિલ્લામાં ક્ષત્રીય યુવક સંઘ ની એકદિવસીય શિબિર યોજવા માં આવશે તેવું જણાવ્યું હતુ, હવે પછી આગામી સમય માં બાકરોલ , ભિલોડા તથા માલપુર ખાતે એકદિવસીય શિબિર યોજાશે.