જમ્મુ કાશ્મીરના બારામુલામાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે થયેલા ઘર્ષણમાં 4 આતંકીઓને ઠાર કરાયા છે. તો બીજી તરફ આતંકવાદીઓએ જમ્મુના સુંઝવાંમાં ચઠ્ઠા કેમ્પ પાસે CISFની બસ પર હુમલો કર્યો હોવાના સમચાર સામે આવી રહ્યા છે. બસ પર થયેલા હુમલામાં 1 ASI શહીદ થયા છે. જ્યારે 3 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. CISFના આ જવાનો સુંઝવાંમાં થયેલા આતંકી હુમલામાં જવાનોની મદદ માટે જઈ રહ્યા હતા. CISFની બસમાં 10થી વધુ સેનાના જવાનો હાજર હતા.
Advertisement
Advertisement