37 C
Ahmedabad
Saturday, April 27, 2024

UP : પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની ઘાતકી હત્યા, પુત્રવધૂ સાથે બળાત્કારની આશંકા


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હત્યારાઓએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને બાળવા માટે ઘરમાં આગ પણ લગાવી હતી. હાલ પોલીસે હત્યાનો પર્દાફાશ કરવા માટે સાત ટીમો બનાવી છે.

Advertisement

પ્રયાગરાજના થરવાઈના ખૈવાજપુર ગામમાં થયેલી હત્યા મામલે મૃતકોમાં રામ કુમાર યાદવ (55), તેમની પત્ની કુસુમ દેવી (52), પુત્રી મનીષા (25), પુત્રવધૂ સવિતા (27) અને પૌત્રી મીનાક્ષી (2)નો સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક પૌત્રી (5) જીવિત મળી આવી છે.

Advertisement

BSP સુપ્રીમો માયાવતીએ પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યા પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, કે, ‘ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ લોકોની ક્રૂર હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાના તળિયે જવું જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.

Advertisement

Advertisement

સામૂહિક હત્યાના બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. એસપી ગંગા ક્રોસ ઓફિસર સહિત ભારે પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘટનાની તપાસ માટે સ્નિફર ડોગ્સ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!