ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડો.અનિલ જોષીયારાના 70 માં જન્મદિવસે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને તેમના પુત્ર કેવલ જોષીયારા અને તેમના રાજકીય મિત્રોએ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને રાજકારણમાં સક્રિય થઈ રહ્યા છે. આ પ્રસંગે ભિલોડાના તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બળભદ્રસિંહ ચંપાવત સાથે અન્ય કાર્યકરો પણ તેમની સાથે જોડાયા હતા.
સ્વ.ધારાસભ્ય ડો.અનિલ જોષીયારા કોરોના સામે જંગ હારી જતા ચેન્નાઈમાં સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું ત્યારથી તેમના પુત્ર પિતાનો રાજકીય વારસો આગળ ધપાવશે કે નહીં તેની તરફ સૌએ મીટ માંડી હતી.
ભાજપ પણ નિકટતા વધારી હોવાની ચર્ચા વચ્ચે તેમને તેમના સ્વજનો અને સમાજ પર રાજકીય કારકિર્દી આગળ ધપાવવા અંગે નિર્ણય કરશે તેમ જણાવ્યું હતું ત્યાર બાદ ધીરે ધીરે કોંગ્રેસના અને સમાજના કાર્યક્રમોમાં સક્રિય થઇ રાજકીય ઇનિંગ માટે ઓપનિંગ કર્યા પછી તેમના પિતાના 70 માં જન્મ દિવસે કેવલ જોષિયારાએ જણાવ્યું હતુ કે,હું આગામી દિવસોમાં રાજકારણ સક્રિય રીતે જોડાઈશ. સમાજે મંજૂરી આપતા રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી હતી