શ્રી ગુજરાતી સમાજ ઉદયપુરના સભ્યોની મળેલ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સમાજના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે રાજેશભાઈ મહેતાની વરણી કરવામાં આવેલ.
ઉદયપુર ગુજરાતી સમાજમાં ઘણાં વર્ષો સેવા આપનાર સ્વ. બિહારીભાઈ મહેતાના પરિવારે સેવા પ્રવૃતિઓ ધ્વારા મોટી લોક ચાહના મેળવીને એમને આર્શીવાદથી તેમના સુપુત્ર રાજેશભાઈ પણ ગુજરાતી સમાજમાં ૧૯૮૭ થી વિવિધ હોદા્ઓ પર રહી ઓતપ્રોત થઈને સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય છે.
કોરોના કાળમાં પણ પાયાગત સુવિદ્યાઓ આપવામાં પાછીપાની ન કરનાર તેઓએ ઉદયપુરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને, સહેલાણીઓ તેમજ યાત્રા પ્રવાસીઓને દિલ દઈને સહયોગી બન્યા છે. આવી ઉમદા પ્રવૃતિઓની સુવાસથી રાજશેભાઈને ર૦૧૮માં મુબઈ ખાતે ખડાયતા યુવક (સમાજ) ધ્વારા ધ્વારા મહાસુખ એવોર્ડ આપી તેમની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી.
રાજેશભાઈ મહેતા ઉદયપુર ગુજરાતી સમાજના પ્રમુખ ઉપરાંત તેમની સેવાકીય સ્વભાવના કરાણે તેઓ અખિલ રાજસ્થાન ગુજરાતી સમાજના વાઈઝ પ્રેસિડન્ટ, અખિલ ભારત ગુજરાતી સમાજ રાજસ્થાન પ્રદેશાના સચિવ, આંતર રાષ્ટ્રિય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ, ભારત વિકાસ પરિષદ મેવાડશાખાના ઉપાધ્યક્ષ, વિશ્વ ગુજરાતી સમાજના કારોબારી સભ્ય, વંદે માતરમ્ મંચના રાષ્ટ્રિય સહ સચિવ જેવી સંસ્થાઓમાં સક્રિય યોગદાન આપી રહયા છે. તેમના રહેલ ઉત્સાહ, ઘગશ, નિષ્ઠા અને સમર્પણની ભાવનાને સો– સો સલામ – સાથે વિશેષ પ્રગતિ માટે હાર્દિક શુભેચ્છાઓ.