રમઝાન માસની વિદાયના આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ઇદના ચાંદના દીદાર માટે મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. ત્યારે રમઝાન ઈદના તહેવારને અનુલક્ષીને મોડાસા શહેરના માર્ગો પર અને લઘુમતી વિસ્તારમાં તેમજ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્રએ મોડાસા શહેરના મુખ્યમાર્ગો અને લઘુમતી વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ યોજી પરીસ્થીતીનો તાગ મેળવ્યો હતો તેમજ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલીંગનું આયોજન કર્યું હતું