સામાવ્ય રીતે તહેવાર કે લગ્ન પ્રસંગે સોના-ચાંદીની ખરીદી થતી હોય છે ત્યારે આ વર્ષે અક્ષય તૃત્યાનાં શુભ અવસરે ભારતના મધ્યમ અને ઉચ્ચ મધ્યમવર્ગે અંદાજે 15 થી 17 ટન સોનાની ખરીદી થઇ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મુંબઈ સહિત દેશભરના જવેલર્સને ત્યાં ગ્રાહકોની ઉપસ્થિતિ દાખવતી હતી કે, જવેરી બજારોમાં ફુગાવાની કોઈ અસર આખા ભારતમાં ક્યાંય જોવાઈ ન હતી. દાનાભાઈ જ્વેલર્સના અશોક મિનાવાલાએ કહ્યું કે, આ વર્ષે અમને વિચિત્ર અનુભવ જોવા મળ્યો છે. તાજેતરમાં ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ રૂ. 50,000 થયો ત્યારે બહુ બધા ગ્રાહકો દુકાને ચઢતા ન હતા. છેલ્લા એક સપ્તાહમાં ભાવ રૂ. 53,000 થી ઘટીને રૂ. 51,000 થી રૂ. 52,000 થતાં શુભમુહૂર્તો અને લગ્નસરાના ગ્રાહકોએ સોનાના આભૂષણો અને સિક્કાની ધૂમ લેવાલી કરી હતી. ગ્રાહકો માની રહ્યા છે કે નબળા રૂપિયાને લીધે સોનાના ભાવ ઘટવા કરતાં વધવાના સંયોગો ઉજળા છે.
અક્ષય તૃતીય પર સોનાની ખરીદી શુભ માનવામાં આવતી હોય છે ત્યારે ભાવ ભલે ઊંચો હોય પણ લોકોને સોનાની ધૂમ ખરીદી કરીતાં આ વર્ષે રેકોર્ડ બ્રેક સોનાની ખરીદી થઇ છે.