31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

પંજાબમાં AAPના મુખ્યમંત્રીના ઉમેદવાર ભગવંત માને કહ્યુ, “પ્રથમ કલમ બેરોજગારીને દૂર કરવા માટે ચાલશે”


આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા અને ધુરીના ઉમેદવાર ભગવંત માનની જીત થઇ છે. ભગવંત માન 50 હજાર કરતા વધુ મતથી જીત્યા છે. ભગવંત માનને 78 હજાર કરતા વધારે મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના દલવીર સિંહ ગોલ્ડી બીજા નંબર પર રહ્યા હતા.

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત બાદ આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માને કહ્યુ કે, આપણે બધા એક સાથે મળીને સેવા કરીશુ, જેવી રીતે વોટ નાખ્યા છે તેવી રીતે જ એકજુટ થઇને પંજાબને ચલાવીશુ. પંજાબ પહેલા મહેલોથી ચાલતુ હતુ, હવે પંજાબ ગામમાંથી જ ચાલશે. જેટલા મોટા નામ હતા, બધા હારી રહ્યા છે. અમે લખીને આપ્યુ હતુ કે ચન્ની સાહેબ હારી રહ્યા છે, તે થઇ ગયુ છે.

ભગવંત માને કહ્યુ કે સરકાર બન્યા બાદ અમારી પ્રથમ કલમ બેરોજગારીને દૂર કરવા માટે ચાલશે. આપણે યુવાઓને રોજગાર આપવાનો છે. તમે મારી ઉપર વિશ્વાસ રાખો, તમને એક મહિનામાં જ અંતર જોવા મળવા લાગશે. ભગવંત માને કહ્યુ કે પંજાબના કોઇ પણ કાર્યાલયમાં મુખ્યમંત્રીની તસવીર નહી લાગે, માત્ર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીર લાગશે.

ભગવંત માને જાહેરાત કરી છે કે તે રાજભવન નહી પણ ખટકર કલાંમાં શપથ લેશે. મહત્વપૂર્ણ છે કે ખટકર કલાં શહીદ એ આઝમ ભગતસિંહનો ગૃહ જિલ્લો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!