અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઝાલોદર ગામ ખાતે શ્રી જતિ હનુમાનજી દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ.
શ્રી જતિ હનુમાનજી મંદિર પંચાલ સમાજ દ્વારા બસ સ્ટેશન પાસે નવ નિર્મિત હનુમાનજી મંદિરમાં નવીન મૂર્તિની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત્ત વિધાનનો મંડપ પ્રવેશ કરી સાયં:પૂજન આરતી કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 11 મે થી લઈને 13 મે સુધી યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે પ્રાયશ્ચિત્ત વિધાનનો મંડપ પ્રવેશનો પ્રારંભ તથા રાત્રીના સમયે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ દ્રિતીય દિવસે ભવ્ય જળયાત્રા તથા શોભાયાત્રા સહિત રાત્રિના સમયે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને અંતિમ દિવસે દાદાની દિવ્ય મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાની સાથે સાંજે યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી તથા મહાપ્રસાદ અને રાત્રીના સમયે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ગ્રામજનો જોડાયા હતા.