અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના પટેલ છાપરા ગામે ગામની અંદર બનાવેલ નવીન મંદિર શ્રી જગન્નાથ મહાદેવ ના મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મોહોત્સવ ઉજવાયો હતો.ત્રી દિવસીય મોહોત્સવમાં ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ યજ્ઞ અને મંદિરનું વાસ્તુ અને શિખર ધજા આરોહણ કરવામાં આવ્યું હતું જેમાં મંદિર ની અંદર શિવલિંગ સહીત શિવ પરિવાર ની મૂર્તિઓ ને ભ્રાહ્મણો દ્વારા મંત્રોચાર તેમજ યજ્ઞ દ્વારા મંદિરમાં મૂર્તિઓ અને શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.છેલ્લા દિવસે ગામ દ્વારા મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ ગામ ના સાથ સહકાર થી પટેલ છાપરા ગામે જગન્નાથ મહાદેવ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શાંતિ પૂર્ણ રીતે શ્રદ્ધા થી ઉજવવામાં આવ્યો હતો
મેઘરજના પટેલ છાપરા ગામે ત્રી દિવસીય જગન્નાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
Advertisement
Advertisement