31 C
Ahmedabad
Thursday, May 16, 2024

દીપડાની દહેશત : સાબરકાંઠાના કણાદર ગામે દીપડાએ 8 પશુ નું મારણ કરતા લોકોમાં ભય


વિજયનગર તાલુકાના કણાદર ગામે રમેશભાઈ સુરજીભાઈ ભગોરાના ઘર ની બાજુ બકરી બાધવા નો વાડો બનાવે છે.જે વાડા માં ગઇરાત્રે બકરા,બકરી બાંધેલી હતી ત્યાં વાડામાં દીપડો આવીને 4 બકરી 4 બકરા નું મૃત કર્યું હતું રમેશભાઈ એ સવારે ઉઠીને જોયું તો બકરા બકરી મૃત્યુ હાલતમાં જોઇને વનવિભાગને જાણ કરી હતી કહ્યું કે અમારા બકરા અને બકરી ને કોઈ વન્ય પ્રાણી દ્વારા મારણ કરવામાં આવ્યું છે ત્યારે ફોરેસ્ટ ની ટિમ એમ વિ ડામોર, વન રક્ષક જોતીબેન ઓજાત, ડીપલબેન નિનામા ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી ઘટના સ્થળે દીપડા ના પગ માર્ક જોવા મળેલ અને પ્રાથમિક રીતે તાપસ કરતા દીપડા દ્વારા મારણ થયું હોય તેમ જણાઈ આવે છે તેમજ ઘટના સ્થળે ચિઠોડા ના વેટર્નરી ડૉક્ટર ને બોલાવી પી.એમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી નોર્મલ રેંજ ના આર.એફ.ઓ ડી આર મકવાણા જણાવ્યું હતું કે સરકાર શ્રી ના નિયમ મુજબ વન્યપ્રાણી થી પશુનું માંરણ થયેલ હોય નિયમ મુજબ સહાય માટે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!