29 મે ના રોજ રવિવારે હોસ્પિટલનો લોકાર્પણ કાર્ક્રમ યોજાયો હતો આ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રના તમામ નેતાઓ, મંત્રીઓ વગેરે હાજર હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ હાજરી આપી હતી, અગાઉ ધૂણવાના મામલે ચર્ચાયેલા મુદ્દાને ધ્યાનમાં રાખી પૂર્વ મુખ્યમંત્રીએ રમૂજમાં સવાલ કરતા કહ્યું હતું કે, અરવિંદ શું તુ ધૂણે છે. આ સાંભળી આજુ બાજુ સૌ કોઈ ખિલખિલાટ હસવા લાગ્યા હતા. ત્યારે સામે કોઈએ કહ્યું કે, ધૂણવાનું અને ધૂણાવવાનું બેય ચાલું છે ત્યારે ફરીથી વિજય રૂપાણીએ રમૂજમાં વાત કરતા કહ્યું હતું કે, આપણે થોડું ધૂણવાનું હોય ધૂણાવવાનું હોય.
અગાઉ અરવિંદ રૈયાણીના ઘૂણવાના મામલે વીડિયો વાયરલ થયો હતો. જેમાં અરવિંદ રૈયાણી પીઠ પર સાંકળ મારીને ધૂણવા લાગ્યા હતા ત્યારે શ્રદ્ધા કે અંધશ્રદ્ધા તે વાતને લઈને પણ સવાલો ઉભા થયા હતા. કોંગ્રેસે પણ આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપમાં બધા ભૂવાઓ છે એમ કહી શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા. આમ અરવિંદ રૈયાણીનો આ વીડિયો વાયરલ થયો હતો અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને સવાલો ઉભા થયા હતા. જેથી ગઈ કાલે વડાપ્રધાનના કાર્યક્રમની અંદર અરવિંદ રૈયાણીને મળતા હળવી મજાક રૂપાણીએ પણ કરી હતી.