રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી નો આ પ્રથમ પદવીદાન છે અને આ પ્રથમ પદવીદાન સમારોહ ની અંદર ખુદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન બંને એક સાથે આવ્યા છે ત્યારે અમિત શાહે કહ્યું કે, હું જ્યારે આજે રક્ષા શક્તિ યુનિવર્સિટી ના પ્રથમ દીક્ષાંત સમારોહમાં આવ્યો હતો એ પહેલા જ પ્રધાનમંત્રીજી એ રક્ષા યુનિવર્સિટી ને દેશને સમર્પિત કરી છે અને આ યુનિવર્સિટી દીક્ષાંત સમારોહ પછી રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરવા માટે આગળ વધશે.
હું તમને 2002થી 2013 ની વાત કરું તો પ્રધાનમંત્રી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમને લો અને ઓર્ડર રાજ્યોની જવાબદારી છે ત્યારે આ મહત્વને ધ્યાનમાં રાખી લો અને ઓર્ડર આ રોજગાર માટે લોકો આવતા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમને આધુનિકિકરણ કરવા નું પહેલું કામ કર્યું છે. દરેક પોલીસ સ્ટેશનોમાં કમ્પ્યૂટરાઇઝ કરવાનું અને કનેક્ટિવિટી સાથે જોડવાનું કામ તેમણે કર્યું છે.
બધા પોલીસ સ્ટેશનમાં સોફ્ટવેર તેઓ લાવ્યા હતા તેમાં કોઈ બદલાવ હજુ સુધી લાવવાની જરૂર નથી પડી.
જેલ અને ફોરેન્સિક સાયન્સ ને પણ તેમાં જોડવાનો પ્રયત્ન કર્યો, લૉ યુની બનાવી અને એ જ સમયે રક્ષા શક્તિ યુનવર્સિટી નો પણ વિચાર આવ્યો હતો.
રક્ષા શક્તિ યુવર્સિટીનું એક એક કેમ્પસ અન્ય રાજ્યોમાં ખૂલે તે પ્રકારે કામ કરશે તેવું તેમણે જણાવ્યું હતું. અમિત શાહે કહ્યુ કે, વડાપ્રધાન મોદીએ પહેલુ કામ પોલીસ વિભાગનું આધુનિકીકરણનું કર્યુ છે. પોલીસ વિભાગની જરૂરિયાતોને વડાપ્રધાન મોદીએ સમજી અને પૂર્ણ કરી છે. પોલીસ વિભાગમાં પ્રોફેશનાલિઝમ હોય તો જ પરિવર્તન આવી શકે.